ગુજરાતના ભરૂચમાં એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો. અહીં અચાનક અંકલેશ્વરના પુલ પર પહોંચેલા એક વ્યક્તિએ ખિસ્સામાંથી પૈસા ફેંકવાની શરૂઆત કરી દીધી હતી. તે આખરે શું કરી રહ્યો છે તે લોકો સમજી શક્યા નહીં. આ યુવક પુલ નીચે પૈસા ફેંકી રહ્યો હતો અને કહેતો હતો કે કોરોના સમયગાળા દરમિયાન આ નાણાંનો કોઈ ઉપયોગ થયો નથી. આ વ્યક્તિની આ હિલચાલ જોઈને લોકો એકત્ર થવા લાગ્યા. થોડા સમય પછી આ વ્યક્તિએ પુલ પરથી કૂદી પડવાનો પ્રયાસ કર્યો પરંતુ લોકોએ તેને પકડી લીધો હતો.
યુવક અંકલેશ્વરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તે માનસિક તણાવ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. જ્યારે તે પુલ પર પહોંચ્યો ત્યારે તે પહેલા શાંત હતો. તે પછી તેણે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને તે કાગળની નોટોની જેમ પૈસાને હવામાં ઉડાવવા લાગ્યો. તે દરમિયાન તે કહી રહ્યો હતો કે કોરોના ચાલી રહ્યો છે. આ પૈસાનો કોઈ ફાયદો નથી. જ્યાં સુધી તે પૈસા ઉડાડતો રહ્યો ત્યાં સુધી લોકો તેને જોતા રહ્યા. આ પછી, તે અચાનક બ્રિજની બાઉન્ડ્રી ઉપર ગયો અને ત્યાંથી કૂદી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં હાજર લોકોએ એને પકડી લીધો અને તેને બચાવી લેવામાં આવ્યો.
આપને જણાવી દઈએ કે, કોરોના મહામારીને 1 વર્ષ વીતી જવા છતાં તેને કન્ટ્રોલમાં આવવાનું નામ નહીં લેવા સાથે ઉલ્ટાનું વધુ ઘાતક બની વ્યાપક થઈ રહ્યો છે. લોકોના માનસ પટલ પર તેની હવે તીવ્ર પ્રતિકૂળ અસરો વર્તાઈ રહી છે. લાખો રૂપિયા ખર્ચવા છતાં કેટલાય કિસ્સાઓમાં કોરોના સામે સ્વજનોના જીવ બચી રહ્યા નથી.
હવે લોકો માનસિક રીતે પણ હથિયાર હેઠા મૂકી રહ્યા હોય તેવા દ્રશ્યો ઉજાગર થઈ રહ્યા છે. ત્યારે આવો જ કિસ્સો અંકલેશ્વરની વાલિયા ચોકડીના ઓવરબ્રિજ પરથી સામે આવ્યો છે, જ્યાં ઓવરબ્રિજની રેલિંગ પરથી એક આધેડ વ્યક્તિ હાથમાં પૈસા ભરેલી પીળી થેલી સાથે પૈસાનો વરસાદ કરતો જોવા મળી રહ્યો છે. ઓવરબ્રિજની રેલિંગ ઓળગી સાઈડના પિલરના ટેકે ઉભેલો વ્યક્તિ પૈસાનો વરસાદ નીચે વરસાવી કહી રહ્યો છે કે, કોરોનાકાળમાં પૈસા કોઇ કામના નથી.