જૂનાગઢ: વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં આવેલા આપના ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલાની ઘટના બની છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે અજાણ્યા શખ્સોએ ઈસુદાન ગઢવી અને મહેશ સવાણીની ગાડી સહિત પાંચથી સાત ગાડીઓમાં તોડફોડ કરતા બે લોકો ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળ્યું છે.
![અજાણ્યા શખ્સો દ્વારા કાળા વાવટા ફરકાવી હુમલો કરાયો](https://images.bhaskarassets.com/thumb/730x548/web2images/960/2021/06/30/aap-humlo-4_1625064273.jpg)
વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા સભાનું આયોજન કરાયું હતું. સભા સંબોધવા માટે આપના નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી લેરિયા ગામ પહોંચ્ય હતા. આ સમયે અજાણ્યા શખ્સો દ્વારા ઈસુદાન અને મહેશ સવાણીની ગાડીના કાચ તોડ્યા હતા.ગાડી પર પથ્થરમારો કરતા કુલ પાંચથી સાત ગાડીઓમાં નુકસાન થયું છે તો બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામા આવ્યા છે.
अगर इशुदान और महेश भाई जैसे लोगों पर गुजरात में खुलेआम हमला हो रहा है तो तो गुजरात में कोई सुरक्षित नहीं है
ये हिंसा आपकी बौखलाहट है, आपकी हार है
लोगों को अच्छी सहूलियतें देकर उनका दिल जीतिए, विपक्ष पर हमले कराकर उन्हें डराइए मत। ये लोग डरने वाले नहीं। https://t.co/HcSZ25PzHd
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 30, 2021
હુમલામાં માંડ માંડ બચેલા આપના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, મારી ગાડીમાં હું, પ્રવીણ રામ અને મહેશ સવાણી હતા. ત્યારે પાછળથી ગાડી પર હુમલો કરાયો, અમે સીટ નીચે છુપાઈ જતા બચી ગયા છીએ. એક વાત ચોક્કસ છે કે, ગુજરાત બીજું બિહાર બની ગયું છે. ગુજરાતની સ્થિતિ બહુ કથળી ગઈ છે. ભાજપપ્રેરિત ગુંડાઓ આ સ્થિતિએ જશે એ અમને ખબર ન હતી.પરંતુ, હવે ગુજરાતની જનતા આ લોકોને જવાબ આપશે.ગુજરાતમાં બહુ ગંભીર સ્થિતિ છે. અમે આગળની કાર્યવાહી કરીશું.
વિસાવદરના લેરિયા ગામમાં આપના ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર થયેલો હુમલો ભાજપના ગુંડાઓએ કરાવ્યા હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આરોપ લગાવ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપની ધમાકેદાર એન્ટ્રી અને વધી રહેલા જનાધારના કારણે ભાજપ ડરી ગઈ હોવાનો દાવો કરાયો છે.