તાઉ’તે વાવાઝોડાથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અસરગ્રસ્તોને અપાઇ રહેલી સહાય અને અન્ય રિસ્ટોરેશન કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા

0 minutes, 2 seconds Read

તાઉ’તે વાવાઝોડાથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અસરગ્રસ્તોને અપાઇ રહેલી સહાય અને અન્ય રિસ્ટોરેશન કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરથી આ જિલ્લાના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કરી હતી. આ જિલ્લાઓમાં અસરગ્રસ્ત પરિવારો અને વ્યક્તિઓને કેશડોલ્સ તેમજ ઘરવખરી સહાયની ત્વરાએ ચૂકવણીની હાથ ધરાઇ રહેલી કામગીરીની તલસ્પર્શી વિગતો કલેક્ટરો પાસેથી મેળવી હતી. રાજ્ય સરકારના નિયમો-ધોરણો અનુસાર આ કેશડોલ્સમાં પુખ્ત વયની વ્યક્તિ માટે રોજના રૂ. 100 અને સગીર-બાળક માટે રોજના રૂ. 60 પ્રમાણે 7 દિવસની કેશડોલ્સ ચૂકવવામાં આવે છે. તાઉ’તે વાવાઝોડાના તીવ્ર પવનની ગતિને કારણે આ ત્રણેય જિલ્લાઓમાં કાચા-પાકા મકાનો સંપૂર્ણ નાશ પામ્યા હોય, આંશિક નુકસાન થયું હોય-દિવાલ કે છત ધરાશાયી થઇ ગયા હોય, ઝૂંપડા નાશ પામ્યા હોય કે પશુ રાખવાના વાડા-ગમાણને નુકસાન થયું હોય તે અંગે પણ ચૂકવવામાં આવેલી સહાયની વિગતોની સમીક્ષા કરી હતી.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights