youtube.com

પાટીદાર આગેવાનો સાથે થયેલી બેઠકમાં જાણો CMએ શું બાંહેધરી આપી

0 minutes, 0 seconds Read

ગાંધીનગરમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ઊંઝા ઉમિયાધામના આગેવાનો અને પાટીદાર અનામત આંદોલન સમિતિના આંદોલનકારીઓએ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પર તેમની સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર સમાજના યુવકો અને યુવતીઓ પર થયેલા કેસને પાછા ખેંચવા અને શહીદ થયેલા યુવકોના પરિવારના સભ્યોને સરકારી નોકરી આપવી તે બે મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી સાથે પાટીદાર આગેવાનોની બેઠક 45 મિનિટ જેટલો સમય ચાલી હતી. આ બેઠક બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન દિનેશ બાંભણિયા દ્વારા મીડિયા સાથે વાતચીત કરવામાં આવી હતી.

દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, નરેશ પટેલની હાજરીમાં બેઠક થઈ છે અને કેસ પરત ખેંચવા બાબતે બેઠકમાં ચર્ચા થઈ છે. મુખ્યમંત્રીએ કેસ પરત ખેંચવાની બાંહેધરી આપી છે. એટલે હવે યુવાનોને હેરાનગતિ કરવામાં નહીં આવે. મુખ્યમંત્રી દુબઈથી પરત આવશે એટલે અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવશે. આ ઉપરાંત તેમને શહીદ 9 યુવાનોના પરિવારના સભ્યોને નોકરી આપવાની પણ ખાતરી આપી છે.

દિનેશ બાંભણિયાએ વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીએ રાજદ્રોહનો કેસ પણ પરત ખેંચવાની ખાતરી આપી છે. દિનેશ બાંભણિયાએ એવું પણ જણાવ્યું કે, આગામી સરકારમાં 28 જેટલી FIRમા સમાધાન થયું હતું. હવે અમને વિશ્વાસ છે કે, મુખ્યમંત્રીના આશ્વાસન બાદ કેસો પરત ખેંચાશે. આ બાબતે આગામી અઠવાડિયામાં એક બેઠક થશે અને ત્યારે ટાઈમલાઈન ગોઠવવામાં આવશે. 485 ફરિયાદ હતી તેમાંથી 228 ફરિયાદ પાછી ખેંચાઈ છે. બાકીના કેસો પરત ખેંચવાની પ્રક્રિયા અટવાય છે 146 કેસની યાદી અમે લઈને આવ્યા છીએ. આંદોલન સમયે 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમને વળતર આપવાની માગણી પણ સરકારની સામે કરી છે.

મહત્ત્વની વાત છે કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર યુવકો પર થયેલા કેસ પરત ખેંચવામાં આવે તે બાબતે રાજકોટના પ્રવાસ પર સી.આર.પાટીલ હતા ત્યારે પણ નરેશ પટેલે તેમને આ બાબતે વાત કરી હતી. તે સમયે સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું કે, કેસ પરત ખેંચવામાં આવશે અને અત્યારે 78 જેટલા કેસો પરત લેવાની કાર્યવાહી સરકાર કરી રહી છે. આ બાબતે સરકાર અડગ છે. સરકારે જે વાયદો કર્યો છે તેનું પાલન ચોક્કસપણે થશે. આ જ વાતને લઈને નરેશ પટેલ અને પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનોએ મુખ્યમંત્રીની મુલાકાતે પહોંચ્યા હતા અને મુખ્યમંત્રીએ પણ આ કેસો પરત ખેંચવાની બાહેંધરી આપી છે

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights