Tue. Apr 30th, 2024

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર વિવાદમાં ફસાયા, મૌલા અલી અંગે નિવેદન મુદ્દે માફી માગવા છતા પોલીસ ફરિયાદની માગ

By Shubham Agrawal Apr6,2024

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના મૌલા અલી અંગે નિવેદનને લઈને હવે વિવાદ વધી રહ્યો છે. જો કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના નિવેદન માટેમાફી માગી છે. પરંતુ લખનઉની શિયા ચાંદ કમિટીના વડા મૌલાના સૈફ અબ્બાસ નકવીએ ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પોલિસ ફરિયાદ નોંધવા માંગ કરી છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્પષ્ટતા કરતા રહ્યું કે, ‘હું દરેક ધર્મનું સન્માન કરૂ છું. મારો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. કેટલાક લોકોએ ષડયંત્રના ભાગરૂપે બજરંગ બલીની વાતને મૌલા અલી સાથે જોડીને ખોટો પ્રચાર કર્યો. જો મારા શબ્દોથી કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું.’ પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. હજુ ફરિયાદ નોધવામાં આવી નથી.

 

મૌલાના સૈફ અબ્બાસ નકવીએ કહ્યું કે, અગાઉ પણ હિંદુ સમુદાયના લોકોએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ઢોંગી ગણાવતા તેમની સામે કેસ નોંધવાની માંગ કરી હતી અને તેમની વિરુદ્ધ ઘણી ફરિયાદો મળી ચૂકી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની ટિપ્પણીનો મુસ્લિમ સમાજ ખુલ્લેઆમ જવાબ આપશે. અલી વિશે ખોટી ટિપ્પણીઓ સહન કરવામાં આવશે નહીં.’

 

 

ઉલ્લેખનીય છે કે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અવારનવાર ચર્ચા રહે છે. તે લોકોના મનની વાત જાણતા હોવાનો દાવો કરે છે. તેના દરબારમાં લાખો લોકો પહોંચે છે. તેમના ભક્તોની તેમનામાં અતૂટ શ્રદ્ધા છે. ઘણાં લોકો તેમને માત્ર બાબા તરીકે જ નહીં પણ ભગવાન તરીકે પણ પૂજે છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights