VADODARA / પુરી-ચણા-મસાલાના નમુના લેવાયા, આરોગ્ય વિભાગની પાણીપુરીના વિક્રેતાઓ પર તવાઇ

0 minutes, 0 seconds Read

VADODARA : તહેવારો આવતાની સાથે જ ખાણીપીણીના વેપારીઓ કમાવવાની લાયમાં ભેળસેળયુક્ત ખોરાકનું વેચાણ કરે છે. ત્યારે વડોદરા કોર્પોરેશને આ અંગે કવાયત હાથ ધરી છે. જેમાં પાણીપુરી વિક્રેતાઓ પર કોર્પોરેશનની તવાઈ આવી છે. કોર્પોરેશનના વાઘોડિયા રોડ સહિત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

જેમાં પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી હતી. પુરી, ચણા તથા મસાલાના નમુના લેવામાં આવ્યા છે. નમુના ફેઇલ જશે તો તે વેપારીઓ સામે કાર્યવાહી થશે. ગઇકાલે કોંગ્રેસના કોર્પોરેટરોએ સામાન્ય સભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે હવે જોવું રહ્યું કે આ મામલે નવું શું ખુલે છે.

 

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights