ચોમાસું જામશે/ અમદાવાદમાં વરસાદનું શુભમુહૂર્ત જાહેર, 12 જુલાઇથી સતત 7 દિવસ માટે હળવોથી મધ્યમ વરસાદ પડે તેની સંભાવના

0 minutes, 0 seconds Read

હાલમાં અમદાવાદમાં મેઘરાજાએ વિરામ લીધો છે. હવે જ્યારે અષાઢી બીજે રથયાત્રા છે ત્યારે વરસાદના પુનરાગમનનું પણ શુભ મુહૂર્ત પણ મંડાય તેની પૂરી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં 12 જુલાઇથી 7 દિવસ વરસાદી માહોલ રહી શકે છે.

અમદાવાદમાં આજે ૩૮.૫ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૪ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રીની આસપાસ નોંધાઇ શકે છે.

હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં આગામી 12 જુલાઇથી 7 દિવસ માટે હળવોથી મધ્યમ વરસાદ પડે તેની સંભાવના છે.

રાજ્યભરમાં 12 જુલાઇથી ચોમાસાનું પ્રભુત્વ વધી શકે છે. આગામી ૩ દિવસ બનાસકાંઠા, ડાંગ, મહીસાગર, અરવલ્લીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી 12 જુલાઇના ડાંગ અને તાપીમાં ભારે વરસાદની સંભાવના છે.ગુજરાતમાં હજુ સુધી 4.84 ઈંચ સાથે મોસમનો 14.64% વરસાદ નોંધાયો છે. ગત વર્ષે 8.37 ઈંચ સાથે મોસમનો 25%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights