જાપાન / ભૂસ્ખલનથી સર્જાયા વિનાશ, ચારેકોર કાટમાળ તબાહીના દ્રશ્યો, 20 લોકો લાપતા

0 minutes, 0 seconds Read

જાપાનની રાજધાની ટોક્યો પશ્ચિમી એટમી શહેરમાં મડ-સ્લાઈડની ઘટનાના કારણે ઘણા મકાનો ધરાશાયી થયા હતા અને ઓછામાં ઓછા 20 લોકો ગુમ થયા હતા.ગુમ થયાની લોકોની તપાસ ચાલી રહી છે.

ભારે વરસાદના પગલે ભૂસ્ખલન ઘટના બની છે. જાપાનમાં એક અઠવાડિયાથી સતત વરસાદ પડી રહ્યો છે. પહાડ પરથી મોટા પ્રમાણમાં માટી ધસી આવતા લોકોના ઘર અને ઇમારતોને ભારે પ્રમાણમાં નુક્સાન પહોંચ્યું હતું. ભૂસ્ખલનથી આખા વિસ્તારમાં માટી, કીચડ અને કાટમાળ જ જોવા મળી રહ્યો છે.

સેલ્ફ-ડિફેન્સ ફોર્સના જવાનોની સ્થાનિક અધિકારીઓએ મદદ માંગી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના સવારે 10.30 વાગ્યે બની હતી.

આજુબાજુની નદીઓમાં પાણીના સ્તર વધતા જતા તંત્રએ લોકોને જાગ્રત રહેવાની ચેતવણી આપી છે. તે જ સમયે, વિસ્તારમાં ઉચ્ચ સ્તરીય ચેતવણી જારી કરવામાં આવી છે.

જાપાનમાં ભારે વરસાદને કારણે બુલેટ ટ્રેનો પણ બંધ કરી દેવામાં આવી છે. તે જ સમયે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આવનાર સમયમાં વધુ ભૂસ્ખલનની સંભાવના છે.  જાપાનમાં ભૂસ્ખલનથી સર્જાયા તબાહીના દ્રશ્યો, ચારેકોર કાટમાળ, 20 લોકો લાપતા

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights