જુનાગઢ / વાદળછાયા વાતાવરણથી ગિરનાર પર્વત પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

0 minutes, 0 seconds Read

હાલમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. જેના પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જૂનાગઢમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ગિરનાર પર્વત પર આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગિરનાર રોપ-વેમાંથી વરસાદ પડતાં ગિરનાર જંગલના અદભુત દ્રશ્યો જોવા મળ્યા છે. રોપ વેમાં સફર કરતા મુલાકાતીએ વિડિયો કેમેરામાં કેદ કર્યો છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ આનંદ માણવા માટે ઉમટી પડયા છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. તો અમુક જગ્યાએ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડતાં ખેડુતો ખુશ થયા હતા.

જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં પણ સારો વરસાદ વરસી ગયો હતો. જેને લઈને ખેડૂતોને ખુશીની લાગણી થઈ હતી. ખેડૂતોની વાવણી પર અમી વરસતા આ પંથકના ખેડૂતો ઘણી રાહત થઈ છે.

 

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights