દેશના પ્રખ્યાત સિંગર કેકે ઉર્ફે કુમાર કુન્નથ હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનું મંગળવારે 31 મેના રોજ અવસાન થઈ ગયું છે. તેઓ કોલકાતામાં એક કોન્સર્ટ કરવા ગયા હતા ત્યાં અચાનત તેમની તબિયત લઠડી હતી અને તેઓ પડી ગયા હતા. જોકે, તેમને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. કેકે ખૂબ જ સિમ્પલ લાઈફ જીવવામાં વિશ્વાસ રાખતા હતા. ડ્રિંક અને ધૂમ્રપાન સાથે દૂર સુધી તેમને કોઈ સબંધ નહતો. આવી સ્થિતિમાં તેમની આકસ્મિક વિદાયે ક્યારેય ન ભરાય એવો ઘા આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કેકે કોલકાતા ઈવેન્ટને લઈને ઘણો ઉત્સાહિત હતા. તેમણે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરીને આ માહિતી પણ આપી હતી. સોશિયલ મીડિયા પર સ્ટેજ પરફોર્મન્સની બે તસવીરો પોસ્ટ કરતા કેકેએ લખ્યું હતું કે, નઝરૂલ આજે રાત્રે સ્ટેજ પર ડાન્સ કરી રહ્યો છે. વિવેકાનંદ કોલેજ !! તમને સૌને પ્રેમ કરું છું. 14 કલાક પહેલા શેર કરવામાં આવેલી આ પોસ્ટ કેકેના જીવનની છેલ્લી પોસ્ટ સાબિત થઈ, જે હવે માત્ર એક યાદ બની ગઈ છે.

બોલીવુડ જગતને લબો કો, લૂટ ગયે, સચ કહે રહા દિવાના અને મેરા પહેલે પહલા પ્યાર જેવા સુપરહિટ ગીતો આપનાર કેકે હવે ફક્ત યાદોમાં રહી ગયા છે. પીએમ મોદી સહિત બોલિવૂડના ઘણા મોટા સેલેબ્સે કેકેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કૃષ્ણ કુમાર કુન્નાથ એટલે કે કેકેએ માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ મરાઠી, કન્નડ, તમિલ અને મલયાલમ સહિત અન્ય ઘણી ભાષાઓમાં પણ ગીતો ગાયા છે.

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page