દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર, મારગાળા, પાટડિયા નાં રહેવાસી કલાલ સમાજના ત્રણ વ્યક્તિઓનાં આજ રોજ રાજસ્થાન ખાતે લગ્ન પ્રસંગે જતાં હતાં ભિલકુવા પાસે આવેલ હેજામાળ ખાતે અર્ટિકા ગાડી ને ડમ્પર સાથે અક્સ્માત સર્જાતા ગાડીમાં સવાર કલાલ સમાજના ત્રણ વ્યક્તિઓનાં સ્થળ પર કમ કમાટી ભરીયું મોત નિપજયું હતું. સુખસર ખાતે અક્સ્માતની જાણ થતાં કલાલ સમાજમાં હાહાકાર મચી જવા પામ્યો છે.
સુખસર ગામના રહેવાસી જયેશભાઇ મોહનભાઈ કલાલ ઉંમર રહે 52 વર્ષ મારગાળા ગામનાં વતની નદી જોડે દુકાન કરતાં તેમનાં ભાઈ હસમુખભાઇ મોહનભાઈ કલાલ ઉંમર રહે 59 વર્ષ અને પાટડિયા રહેવાસી તેમનો ભત્રીજો રોહિતકુમાર ભરતભાઈ કલાલ ઉંમર રહે 32 વર્ષ. આ બનાવનું જાણ થતાં પરિવારમાં સોકનાં વાદળ થયાં છે.
કલાલ સમાજના એક જ કુટુંબનાં ત્રણ વ્યક્તિઓનાં આજ રોજ રાજસ્થાન ખાતે લગ્ન પ્રસંગે જતાં હતાં ભિલકુવા પાસે આવેલ હેજામાળ ખાતે અર્ટિકા ગાડી ને ડમ્પર સાથે અક્સ્માત સર્જાતા ગાડીમાં સવાર કલાલ સમાજના ત્રણ વ્યક્તિઓનાં સ્થળ પર કમ કમાટી ભરીયું મોત નિપજયું હતું અને સાથે જાણવાં જેવી એવી વાત છે કે જયેશભાઈ કલાલનાં ત્યાં તેમનાં દિકરા અને દિકરીનાં લગ્ન ટૂંક સમયમાં લેવાનાં હતાં અને તેની પત્રીકા પણ આપવાં ખાતે ગયેલા હતાં તેમનાં ખુશી નો માહોલ શોક કાલીન માં ફેરવાઈ ગયો છે. સમસ્ત ઘટનાની કાર્યવાહી સજ્જનગઢ પોલીસ સંદર્ભે હાથ ધરાઈ છે અને મૃતક કોની લાશો સુખસર ખાતે લાવવામાં આવી છે.