સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધમધોધાકટ વરસાદ પડ્યા પછી મેઘરાજાએ સુકાન બદલ્યું છે મંગળવારે ઉત્તર ગુજરાત પર સાંબેલાધારે વરસીને સૂકા પ્રદેશમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં આભ ફાટ્યું હોય એમ જોવા મળે છે, ત્યાં 11 ઇંચ વરસાદ થતાં જનજીવન પર ભારે અસર પડી છે. મહેસાણા અને બેચરાજીમાં 4-4 ઇંચ વરસાદ પડ્યો. છેલ્લા 24 કલાકમાં […]
વાવ : બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલ સુઈગામ તાલુકાનાં નડાબેટનાં રણમાં વરસાદી પાણીથી રણ જાણે દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુઈગામ પંથકમાં સવારે 6:00થી બપોરે બે વાગ્યા સુધીમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા પાણી જ પાણી જોવા મળ્યા હતા જ્યારે પર્યટન સ્થળ તરીકે જાણીતા નડાબેટ બોર્ડર પર વરસાદી માહોલને પગલે […]
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે ST વ્યવહારને અસર જોવા મળી છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ બસના રુટ બંધ કરાયા. તેમાં ઉન ખીજડીયા અને મોરિદાડ ગામની ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાતા મુસાફરોને હાલાકી પડી રહી છે. ગ્રામીણ વિસ્તારમાં જ્યા જ્યાં પાણી ભરાયાં છે ત્યાં એસટી બસની ટ્રીપ કેન્સલ કરવામાં આવી […]
ઉકાઈ – તાપી : દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમમાં પાણીની આવક થવાનું પ્રારંભ થયું છે. મળતી માહ્તી મુજબ ઉપરવાસમાં વરસાદ પડતાં હથનુર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના હથનુર ડેમનો એક ગેટ એક મીટર ખોલવામાં આવ્યો છે. ઉકાઈ ડેમમાં 6,392 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ઉકાઈ ડેમની હાલની સપાટી 305.47 ફૂટ પર પોહચી છે. […]
અમદાવાદ શહેરમાં રવિવાર 30મી જૂનના બપોરના ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયું. શહેરના બે અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર બંધ કરાયા. શહેરભરમાં ભરાયેલ વરસાદી પાણીના નિકાલ માટે સાબરમતી નદી ઉપર વાસણા બેરેજના ચાર દરવાજા ખોલવા માટે તંત્રને ફરજ પડી. દક્ષિણ-મધ્ય ગુજરાતની સાથે સાથે આજે અમદાવાદ શહેરમાં પણ બપોરના સમયે સારો વરસાદ વરસ્યો હતો. […]
તા.૧૭-૦૩-૨૪ હાલના સમયમાં જાણીએ છીએ કે કોઈને કોઈ જગ્યાએ જરૂરીયાત મંદો માટે ઘણાં કાર્યક્રમો ચાલતા રહે છે. આજ રીતે આજના રવિવારના રોજ ઝાલોદ ખાતે આવેલ વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડ ના સહયોગથી બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય પરીવાર દ્વારા સેન્ટર પર પ્રોગ્રામ આયોજિત કરેલ જેમાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને અનાજની કિટ વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યા માં […]
તા.૧૩.૦૩.૨૦૨૪ દાહોદ જિલ્લાનાં ફતેપુરા તાલુકામાં કરોડિયા પૂર્વે આઈ. ટી. આઈ ખાતે આજ રોજ આપણા આદિજાતિ મદદનીશ અધિકારીશ્રી સાહેબનાં અને તાલુકાનાં હોદેદારીનાં હસ્તે આજનો આ કાર્યક્રમ વનબંધુ કલ્યાણ યોજના કમીશનરશ્રી આદિજાતિ વિકાસ ગુ. રા. ગાંધીનગર પ્રેરીત સમાજ શિક્ષણ શિબિરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમમાં મદદનીશ અધિકારીશ્રી અને બીજા મહા અનુભવો અને સંસ્થાનાં કર્મચારીઓ અને […]
૦૨/૦૨/૨૦૨૪ આપણા આજુ બાજુના વિસ્તારમાં ઘણી કંપનીઓમાં કર્મચારીઓ પોતાની માંગણીઓ લઈને ચર્ચા વિચારણા ચાલી રહી હોય છે આવા માહોલમાં હાલોલ GIDCમાં આવેલ ટોટો ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપની ના 600 જેટલા કામદારો પોતાની હકની માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. હાલોલના ચંદ્રપુરા ગામમાં આવેલી ટોટો નામની ખાનગી કંપનીના કર્મચારીઓએ પોતાની માંગણીઓને લઈને મોટો હોબાળો કર્યો. કર્મચારીઓનું કેહવું […]
આજ રોજ ૫૦૦ વર્ષ જુનાં અયોધ્યા ધામને નવનિર્મિત સ્થાપન કરવામાં આવ્યું છે તેને લઈને ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં કાર્યક્રમ યોજાયો હતો. શ્રી રામ ભગવાનની અયોધ્યા ખાતે થયેલ પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે સુખસર ગામમાં શોભા યાત્રા કાઢવામાં આવતી હતી. 500 વર્ષની લાંબી પ્રતીક્ષા કર્યા બાદ ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજી નવનિર્મિત મંદિરમાં બિરાજમાન […]
તા.૭/૦૧/૨૪ દાહોદ જિલ્લાનાં ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં કાલના રોજ અક્ષત કળશ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ સુખસર ગામમાં આયોધ્યા ધામની ઉજવણી નિમિતે આજ રોજ સુખસરનાં તમામ ગ્રામ જનોદ્વારા આજે અક્ષત કળશની શોભા યાત્રાનું ભવ્ય અને ધુમધામથી આયોજન કરવામાં આવ્યું હતું અને તેનાં સાથે ૨૨ જાન્યુઆરી આયોધ્યા ધામ એટલે ભગવાન શ્રી રામજીની જન્મભૂમી […]