18 મેના રોજ ‘તૌકતે’ નામનું વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા સર્જાઈ છે. જેથી સૌરષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લામાં વાવાઝોડાની અસર થઈ શકે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. દરિયામાં ગયેલ એક હજારથી વધુ માછીમારોની બોટને પરત બોલાવાઈ છે. વલસાડના 28 ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ ગઈ છે જ્યારે કચ્છમાં 123 ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો ગાંધીનગરથી મામલતદાર સહિતના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે સરકારે આદેશ કર્યા છે.
Jantanews360 Team
www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.