ભાવનગરના ગુજરાત જમીન વિકાસ નિગમ લિમિટેડના નિવૃત કર્મચારી વિરૂધ્ધ અપ્રમાણસર મિલ્કતનો ગુન્હો નોંધાયો

0 minutes, 0 seconds Read

સરકારી કર્મચારીઓ પર ઘણી વાર અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાતો હોય છે. તો લાંચ લેતા પણ ઝડપાઇ છે. હાલમાં જ ભાવનગરમાં વર્ગ-3ના નિવૃત કર્મચારી સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધાયો છે.

ભાવનગરના ગુજરાત જમીન વિકાસ નિગમ લિમિટેડના નિવૃત કર્મચારી વિરૂધ્ધ ગુન્હો નોંધાયો છે. કર્મચારી એન.કે.વાલિયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. પ્રાથમિક તપાસમાં બે કરોડ કરતા વધુ અપ્રમાણસર મિલકત સામે આવી છે. એસીબીએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ તપાસ કરતા હજુ પણ વધુ અપ્રમાણસર મિલકત સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

નોંધનીય છે કે, અપ્રમાણસર મિલકતના ગુનાઓ વારંવાર સામે આવતા હોય છે. તો બીજી તરફ સરકારી કર્મચારીઓ લાંચ લેતા હોય તેવી પણ ઘટના સામે આવતી હોય છે.

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights