Thu. Apr 25th, 2024

ભાવનગરના તળાજા મહુવા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યા, બાળકોના માથેથી છીનવાઈ છત્રછાયા

By Shubham Agrawal May26,2021 #BHAVNAGAR

ભાવનગરના તળાજા મહુવા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 3 ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. જો કે, અકસ્માતના પગલે પોલીસ કાફલો અને 108 ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.

ભાવનગરના તળાજા મહુવા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 3 ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. જો કે, અકસ્માતના પગલે પોલીસ કાફલો અને 108 ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. જ્યાં 108 ની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા.

મળતી માહિત મુજબ, ભાવનગરના તળાજા મહુવા હાઈવે પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પરિવાર કારમાં મહુવા તરફ જઈ રહ્યો હતો. દરમિયાન સામેથી આવતી એસટી બસ સાથે કાર ધડાકાભેર અથળાઈ હતી. જેમાં કારનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર પતિ-પત્નીનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના બે બાળકોને ગંભીર ઈજા પહોંચી હતી.

કાર અકસ્માતમાં બ્રિજરાજસિંહ જાડેજા અને જાગૃતિબા બ્રિજરાજસિંહ જાડેજાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે 11 વર્ષીય કાવ્યરાજ અને 9 વર્ષીય કીર્તિબા સહિત 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ બંને બાળકોને રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે, અકસ્માતના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights