મધ્યપ્રદેશ: એક કારી વિમાન ગુરૂવારે રાતે 9 વાગ્યે ગ્વાલિયર એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. લેન્ડિંગ વખતે એન્જિનમાં ટેકનીકલ ક્ષતિના કારણે સ્ટેટ પ્લેન પલટી મારી ગયું હતું. આ દુર્ઘટનામાં સિનિયર પાયલટ કેપ્ટન સઈદ માજિદ અખ્તર, પાયલટ શિવશંકર જયસ્વાલ અને એક અધિકારી ઘાયલ થયા છે. આ તમામને ગ્વાલિયરની JAH હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ વિમાન ગુજરાતના અમદાવાદથી રેમડેસિવિર ઈન્જેક્શન લઈને ગયું હતું.
આ પ્લેન અગાઉ અમદાવાદથી રેમડેસિવીર ઈન્જેક્શન લઈને ઈન્દોર પહોંચ્યું હતું.. ત્યાં અનલોડિંગ પછી બાકીના ડોઝ લઈને ગ્વાલિયર એરપોર્ટ પર પહોંચ્યું હતું. પરંતુ ગ્વાલિયરમાં લેન્ડિંગ અગાઉ જ પ્લેનના એન્જિનમાં કોઈ ક્ષતિ સર્જાઈ હતી. સિનિયર પાયલટ કેપ્ટન સઈદ માજિદ અખ્તરે સૂઝબૂઝથી નિર્ધારિત પોઈન્ટથી 200 મીટર અગાઉ જ પ્લેનને રનવે પર ઉતારી દીધું. તેમણે સ્પીડ ઘટાડતા વિમાનને કંટ્રોલ કરવાની કોશિશ કરી હતી પરંતુ પ્લેન રનવે પર લપસીને એક તરફ પલટી ગયું હતું.
![દુર્ઘટનામાં બે પાયલટ અને એક લોકો પાયલટને ઈજા થઈ છે.](https://images.bhaskarassets.com/thumb/600x450/web2images/960/2021/05/07/pla2_1620334873.jpeg)
પ્લેનથી ગ્વાલિયર અને ચંબલ અંચલ માટે 71 બોક્સ રેમડેસિવીર ઈન્જેક્શન ઉતારવામાં આવ્યા છે. બાકીના પેકેટ જબલપુર માટે છે. તેને જબલપુર પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે. આ દુર્ઘટના કેવી રીતે બની તેના અંગે તપાસ ચાલી રહી છે.લગભગ એક વર્ષ અગાઉ વિદેશથી મંગાવેલા 65 કરોડ રૂપિયાની કિંમતના આ વિમાનનું ગત સપ્તાહે જ સમારકામ કરાયું હતું. 100 કલાકના ઉડ્ડયન પછી અને નિયમિત સમારકારમા પછી એક-બે દિવસ અગાઉ જ ઉડ્ડયન માટે યોગ્ય ગણાવાયું હતું. તેના પછીથી આ વિમાન રાજ્યના વિવિધ શહેરોમાં રેમડેસિવીર ઈન્જેક્શન, વેક્સિન અને અન્ય દવાઓ પહોંચાડી રહ્યું હતું.