દેશમાં કોરોનાનો ફરી પગપેસારો, 7240 નવા કેસ નોંધાયા

0 minutes, 0 seconds Read

દેશમાં એકવાર ફરી કોરોનાના કેસ વધી રહયા છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 7240 નવા કેસ નોંધાયા છે. બુધવારે દેશમાં 5233 નવા દર્દી નોંધાયા છે. આ પહેલાં એટલે કે મંગળવારે 3741 નવા સંક્રમિત નોંધાયા છે. એનાથી સાબિત થાય છે કે દેશમાં ફરી એકવાર સંક્રમણ વધી રહ્યું છે. દેશમાં સતત બીજા દિવસે કોરોનાના દર્દીઓમાં 40%નો વધારો થયો છે.

બુધવારે 94 દિવસ પછી દેશમાં નવા સંક્રમિતોની સંખ્યા 5 હજારને પાર થઈ છે. મહારાષ્ટ્ર સહિત અમુક રાજ્યોમાં કોવિડ કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ગુરુવારે સવારે 8 વાગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, 24 કલાકમાં સક્રિય કેસ 3641 થયા છે.

અપડેટ આંકડા પ્રમાણે, વધુ 8 લોકોનાં આ મહામારીને કારણે મોત થયાં છે. આમ, હવે દેશમાં કુલ કોરોનાના કારણે થયેલાં મોત 5,24,723 થયાં છે. કોરોનાના વધતા કેસને કારણે ફરી સ્વાસ્થ્ય મંત્રાલયની ચિંતા વધી છે.

કોરોનાનો આ આંકડો જોતાં ખ્યાલ આવે છે કે આ મહિનાની શરૂઆતથી જ કોરોનાના કેસ વધી રહ્યા છે. એક જૂનથી સાત જૂન સુધીમાં રોજ કોરોનાના કેસ ચાર હજાર આસપાસ જોવા મળ્યા છે, જ્યારે ચાલુ સપ્તાહે શરૂઆતના દિવસોમાં જ 5 હજારથી વધુ કેસ નોંધાવા લાગ્યા છે.

author

Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights