zeenews.india.com

રાજકોટમાં રાત્રે રૂમની બહાર આવી યુવકે માતાને કહ્યું, મેં પત્નીની હત્યા કરી

0 minutes, 0 seconds Read

રાજકોટ જિલ્લાના જસદણમાં ગઢડિયા રોડ પર અહેમદશા પઠાણ નામનો યુવક તેના પરિવારના સભ્યોની સાથે રહેતો હતો. અહેમદશાના લગ્ન ભાવનગર જિલ્લાના ગડુલા ગામમાં રહેતી આશિયાના નામની યુવતી સાથે થયા હતા. ચાર મહિના પહેલા જ ધામધૂમથી લગ્ન બાદ અહેમદશાએ આશિયાનાની હત્યા કરી નાંખી હતી.

મંગળવારના રોજ આશિયાનાનો ઝઘડો તેના પતિની સાથે થયો હતો. રાત્રી દરમિયાન અહેમદશાએ તેની પત્ની આશિયાનાનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. મહત્ત્વની વાત છે કે રાત્રીના સમયે જ્યારે અહેમદશા અને પત્ની ઝઘડો કરતા હતા પરિવારના સભ્યો આ બધું સાંભળી રહ્યા હતા. રાત્રીના 3 વાગ્યા આસપાસ અહેમદશા તેની રૂમમાંથી બહાર આવ્યો. ત્યારે માતા જાગતા હોવાના કારણે અહેમદશાએ માતાને કહ્યું કે, મેં પત્નીની હત્યા કરી નાંખી છે.

લગ્ન જીવનમાં પતિ-પત્ની વચ્ચે વિશ્વાસનો સંબંધ ખૂબ મહત્ત્વનો સંબંધ છે. કારણ કે પત્ની-પત્નીને એક બીજા પર વિશ્વાસ ન હોય તો બંનેનું લગ્ન જીવન ખરાબ થઇ શકે છે. અથવા તો કેટલાક કિસ્સાઓ પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઇને ઝઘડો થયા બાદ શંકાના કારણે હત્યાની ઘટનાઓ પણ સામે આવે છે. ત્યારે શંકાના કારણે એક યુવકે તેની પત્નીની હત્યા કરી નાંખી હોવાની ઘટના રાજકોટના જશદણમાં સામે આવી છે.

પત્નીનો કોઈ અન્યની સાથે સંબંધ હોવાની શંકાને લઈને યુવકે રાત્રીના સમયે પોતાના રૂમમાં જ પત્નીની હત્યા કરી નાંખી હતી અને ત્યારબાદ મોડી રાત્રે રૂમની બહાર આવીને માતાને કહ્યું હતું કે, મેં પત્નીની ગળું દવાબીને હત્યા કરી નાંખી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે પરિણીતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights