જસ્ટિન બીબરના ચાહકો માટે ખુશીના સમાચાર છે. જસ્ટિન બીબરે જાહેરાત કરી છે કે, તે ફરી વર્લ્ડ ટુર કરશે. નોંધનીય છે કે, પોપ સ્ટાર જસ્ટિન બીબર થોડા સમય પહેલા ramsay hunt syndrome નામની બિમારીથી પીડાતો હતો. તેના ચહેરાનો એક ભાગ લકવાગ્રસ્ત થયો હતો. જેને લઈ જસ્ટિન બીબરે પોતાની વર્લ્ડ ટુર રદ્દ કરવી પડી હતી. મહત્વનું છે કે, હવે જસ્ટિન બીબર આ બિમારીમાંથી રિકવર થઈ ચૂક્યો છે અને સારું અનુભવી રહ્યો છે. આથી પોપ સ્ટારે ફરીથી પોતાની વર્લ્ડ ટુરની જાહેરાત કરી છે. તેના વર્લ્ડ ટુરમાં ભારત પણ સામેલ છે.

નોંધનીય છે કે, જસ્ટિન બીબરનો પ્રવાસ 18 ઓક્ટોમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાશે. આ શો જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાશે. આ પહેલા જસ્ટિન બીબર 31 જુલાઈના રોજ ઈટલીના લુક્કા સમર ફેસ્ટિવલમાં પોતાના વર્લ્ડ ટુરની શરુઆત કરશે. વર્લ્ડ ટુર દરમિયાન પોપ સિંગર ભારત અને એશિયા ,દક્ષિણ અમેરિકા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં પ્રદર્શનની સાથે પોતાનો આંતરરાષ્ટ્રીય પ્રવાસ ચાલુ રાખશે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights