હરિયાણા સરકાર ના ગૃહપ્રધાન અનીલ વીજે સરકારના આ નિર્ણય અંગે કહ્યું કે હરિયાણા સરકારે રાજ્યના ગરીબી રેખા નીચે જીવતા દરેક ગરીબ પરિવારને રૂ.5000 ની સહાય આપશે. અનીલ વીજે કહ્યું કે કોરોનાને કારણે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોને કારણે ગરીબોને હોમ અઈસોલેશનમાં રહેવું પડ્યું છે અને તેમની આજીવિકા ખોરવાઈ છે. આ વાતને ધ્યાનમાં રાખીને હરિયાણા સરકારે રાજ્યના ગરીબ પરિવારો માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

કોરોનાકાળમાં હરિયાણા સરકારે રાજ્યના ગરીબો માટે મોટો નિર્ણય લીધો છે. હરીયાણા સરકારે કોરોના વાયરસના ચેપના વધતા જતા કેસોને કારણે લાગુ કરાયેલા પ્રતિબંધો વચ્ચે ગરીબોને મદદ કરવાનો મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર ગરીબી રેખા નીચેના રાજ્યના ગરીબોને 5 હજાર રૂપિયાની સહાય આપશે. આ વાતની જાણકારી હરિયાણાના ગૃહપ્રધાન અનિલ વિજે આપી હતી.

હરિયાણામાં 17 મે સુધી લોકડાઉન

હરિયાણા સરકારે (Haryana Govt) 9 મે રવિવારે કોરોના વાયરસના સંક્રમણના ફેલાવાને રોકવા માટે 17 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી. હરિયાણાના ગૃહ અને આરોગ્ય પ્રધાન અનિલ વિજે ટ્વિટર પર કહ્યું, “10 થી 17 મે સુધી રોગચાળાનું એલર્ટ, સુરક્ષિત હરિયાણા.”

તેમણે કહ્યું હતું કે રાજ્યમાં કોરોના સંક્રમણના ફેલાવાને અટકાવવા કડક પગલા લેવામાં આવશે. અનીલ વિજે બાદમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલમાં લાગુ પ્રતિબંધો 17 મે સુધી અમલમાં રહેશે. લોકડાઉન દરમિયાન રહેશે આ પ્રતિબંધો

હરિયાણા સરકારે રવિવારે મોડીરાતે જાહેર કરેલા સત્તાવાર આદેશથી લોકડાઉનના નિર્દેશો જાહેર કરવામાં આવ્યાં હતા જેમાં જણાવવામાં આવ્યું છે કે લગ્ન, અંતિમ સંસ્કારમાં 11 થી વધુ લોકોને એકઠા થવા દેવામાં આવશે નહીં. લગ્ન ઘરે અથવા કોર્ટમાં થઈ શકે છે અને વધુમાં વધુ 11 લોકો હાજર રહી શકે છે. લગ્નમાં જાન-વરઘોડો કાઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

 

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights