Fri. Oct 18th, 2024

દાહોદ: ફતેપુરા,ઝાલોદ,લીમખેડા,ગરબાડા,દેવગઢ બારીયામાં જન આશીર્વાદ યાત્રા પ્રારંભ કરવામાં આવ્યો

ભરત બારૈયા: દાહોદ જિલ્લાના ફતેપુરા ઝાલોદ લીમખેડા દાહોદ ગરબાડા દેવગઢ બારીયા સહિત સમગ્ર જિલ્લા માં જન આશીર્વાદ યાત્રા પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમ માનનીય મુખ્યમંત્રીશ્રી, ભુપેન્દ્ર પટેલ જી ની નવ રચિત મંત્રીમંડળના રાજ્યકક્ષાના મંત્રી શ્રી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો

કુબેરભાઈ ડીડોર અને વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા તેમજ દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ લીમખેડાના ધારાસભ્ય શૈલેશ ભાભોર અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શંકરભાઈ અમલીયાર દાહોદ જિલ્લાના પ્રભારી અને દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા તેમજ દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન  પ્રફુલભાઈ ડામોર પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા  તેમજ જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના સૌવું કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ આ જન આશીર્વાદ યાત્રા દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું વિવિધ કામગીરીઓની ગાથા પણ ગવાઈ હતી

Related Post

Verified by MonsterInsights