ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે કોઈ પણ જાતની ફાયરસેફ્ટી વગર ધમધમી રહી છે ખાનગી હોસ્પિટલો. તંત્ર ઘોર નિંદ્રામાં. ફતેપુરા તાલુકા ની આજુ બાજુના તેમજ રાજસ્થાન સરહદથી મોટી સંખ્યામાં લોકો ફતેપુરા ખાતે દવા સારવાર કરાવવા માટે આવે છે ફતેપુરા નગરના રહેણાંક વિસ્તારોમાં મોટી મોટી ખાનગી હોસ્પિટલો આવેલી છે હોસ્પિટલના સંચાલકો દ્વારા હોસ્પિટલમાં કોઈ પણ જાતની ફાયરસેફ્ટી ઊભી કરવામાં આવેલી નથી તેમજ તંત્ર દ્વારા પણ કોઈપણ જાતની તપાસ કરી સંચાલકોને ફાયરસેફ્ટી લગાવવા માટે જાણ કરવામાં આવતી નથી હાલની દ્રષ્ટિએ ફતેપુરા નગરની તમામ ખાનગી હોસ્પિટલો ફાયરસેફ્ટી વગર ધમધમે છે ટૂંક સમય પહેલા ફતેપુરા નગરની એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી જોકે તે સમયે સદભાગ્ય કોઇ જાનહાની થઇ નહોતી પરંતુ ત્યાર બાદ પણ તંત્ર દ્વારા ફતેપુરા નગરની કોઈપણ હોસ્પિટલોમાં ફાયરસેફ્ટી ની ચકાસણી કરવામાં આવી નથી કે ફાયરસેફ્ટી લગાવવા માટે જાણ કરવામાં આવી નથી જો ફતેપુરા નગરના ખાનગી હોસ્પિટલોમાં ફાયરસેફ્ટી લગાવવામાં નહી આવે તો ભવિષ્યમાં આગ લાગવાની ઘટનાઓ બનશે તો આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકો તેમજ દવાખાનામાં દાખલ દર્દીઓ ના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page