આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 71 લાખ જેટલા રેશનકાર્ડ ધારકોને તેલ આપવામાં આવશે.

કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, દિવાળી નિમિત્તે રેશનકાર્ડ ધારકોને રાજ્ય સરકાર મોટી ભેટ આપવા જઈ રહી છે. જેમાં 35 લાખ રેશનકાર્ડ ધારકોની જગ્યાએ હવેથી 71 લાખ રેશનકાર્ડ ધારકોને તેલ આપવામાં આવશે. NFSA કાર્ડ ધારકોને રેશન કાર્ડ દીઠ 1 લીટર કપાસિયા તેલ આપવામાં આવશે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights