ગુજરાતનાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે રવિવારે કહ્યું હતું કે તેઓ કોરોના વાયરસના સંક્રમણથી મુક્ત થયા છે. તેમને અમદાવાદની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પટેલ છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા. કોરોના વાયરસથી ચેપ લાગતાં તેને 24 એપ્રિલના રોજ અમદાવાદનાં યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી અને રિસર્ચ સેન્ટરમાં દાખલ કરાયા હતાં.

રાજ્યના આરોગ્ય પ્રધાનની જવાબદારી સંભાળી રહેલા પટેલે ટ્વિટ કર્યું કે ‘યુએન મહેતા હોસ્પિટલમાં 15 દિવસ સુધી સારવાર લીધા બાદ આજે મને રજા આપવામાં આવી છે. ભગવાન અને તમારા લોકોનાં આશીર્વાદથી, હું ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છું. ‘ શુભેચ્છાઓ અને પ્રેમ માટે તેમણે લોકો અને હોસ્પિટલના ડોકટરો અને કર્મચારીઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. હાલમાં ડોક્ટરની સલાહ મુજબ નીતિન પટેલને આરામ કરવાની સલાહ અપાઇ છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights