જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરની હેરાનગતિ એટલી વધી ગઈ છે કે એક જાગૃત નાગરિકે પરિવહન કમિશનરને અરજી કરી છે કે, રાજ્યભરના આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન રખડતા ઢોરને પણ છૂટ્ટા મુકી દેવામાં આવે જેથી ડ્રાઈવરને શરૂઆતથી જ તેની આદત પડે.

અરજદાર અંબાલાલ પરમારે જણાવ્યું હતું કે, “છેલ્લા 15 દિવસમાં વડોદરામાં રખડતા ઢોરને કારણે 80 થી વધુ અકસ્માતો થયા છે અને ડ્રાઈવર અને રાહદારીઓ ઘાયલ થયા છે.” શહેરમાં ચારે તરફ જાહેર માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ છે. વડોદરા મહાનગરપાલિકા અને પોલીસ આ બાબતે બેદરકારી જોવા મળી રહી છે.


ઘણાં વર્ષોથી રખડતા ઢોરનો ત્રાસ શહેરીજનો વેઠી રહ્યાં છે અને તંત્ર પશુપાલકો સામે કોઈ પગલાં લેતું નથી તેથી મને વિચાર આવ્યો કે જો શહેરીજનોએ આ સ્થિતિમાં વાહન ચલાવવું હોય તો આવનાર પેઢી આ પરિસ્થિતિથી ટેવાઈ જાય તે માટે આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં પણ રખડતા ઢોર છૂટા મુકવા જોઇએ અને જે વાહન ચાલક અન્ય નિયમોની જેમ રખડતા ઢોરથી પણ બચીને ટેસ્ટ પુરો કરે તેને જ લાયસન્સ આપવુ જોઇએ.

અંબાલાલ પરમાર કહે છે કે, અરજીમાં એવી પણ વિનંતી કરી છે કે જાહેર રસ્તાઓ ઉપર ઠેર ઠેર ‘કેટલ ઝોન’ના સાઇન બોર્ડ પણ મારવા જોઇએ જેથી લોકો ચેતીને વાહન ચલાવે. વડોદરામાં પ્રવેશ સમયે મોટા બોર્ડ લગાવવા જોઇએ, કારણ કે આ શહેરમા રખડતા ઢોરના ઝોન છે, તેથી સાવચેત રહો.

 

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights