Sun. Sep 8th, 2024

જેતપુરના નવાગઢના મુસ્લિમ શખ્સ દ્વારા PMને ધમકી કહ્યું – ‘PM સામે મળે તો ગોળી મારી દઉં’; હિન્દુઓ અને ભગવાન રામને પણ ગાળો ભાંડી

જેતપુર: ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નવાગઢના એક મુસ્લિમ શખ્સ દ્વારા ભગવાન રામને, રાષ્ટ્રને, હિન્દુઓને તેમજ વડાપ્રધાન સામે મળે તો ગોળી મારી આપવાની ધમકી આપવામાં ધાર્મિક લાગણી દુભાવવાની ફરીયાદમાં રાષ્ટ્ર દ્રોહનો ગુન્હો દાખલ કરવા હિન્દૂ સ્વાભિમાન રેલી યોજી ASPને આવેદનપત્ર આપી માંગ કરી હતી.

મહત્વનું છે કે,જેતપુરના નટુભાઈ બુટાણીને બે દિવસ પૂર્વે શહેરના નવાગઢ વિસ્તારમાં રહેતો જાવીદ ભીખુભાઈ કુરેશી નામના મુસ્લિમ શખ્સે મોબાઈલ પર કોલ કરી નવ મિનીટ જેટલો સમય વાત કરી હતી અને આ દરમીયાન ભાજપને પૂર્વ મંત્રી જયેશભાઇ રાદડીયાને, હિન્દુઓને, દેશના વડાપ્રધાન મોદીની, ભગવાન રામને તેમજ રાષ્ટ્રને ભૂંડી ગાળો કાઢે છે. અને મોદી સામે મળે તો બંદૂકની ગોળી મારી દઉં તે મુજબની ધમકી પણ આપે છે. અને અંતે નટુભાઈને પણ ભાજપની કોઈ પોસ્ટ સોશ્યલ મીડિયા પર શેર કરશે તો નવાગઢમાં લઈ જઈને મારમારી જાનથી મારી નાખશે તેવી ધમકી આપવાના બનાવમાં સીટી પોલીસે ભગવાનને ગાળો આપવા બદલ ધાર્મિક લાગણી દુભાવાની તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની આઈપીસી ક.૨૯૫ એ, ૫૦૪, ૫૦૬(૨) હેઠળ ફરીયાદ નોંધી હતી.

પરંતુ આ બનાવમાં આ શખ્સ રાષ્ટ્રને પણ ગાળો આપતો હોવાથી તેની સામે રાષ્ટ્ર દ્રોહની કલમ ઉમેરવા ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા શહેરના સરદાર ચોકથી હિન્દુ સ્વાભિમાન પદયાત્રા યોજી મામલતદાર તેમજ એએસપીને આવેદનપત્ર આપ્યું હતું.

Related Post

Verified by MonsterInsights