દાહોદ:ઝાલોદની શ્રી કે.આર. દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ઝાલોદ એન.એસ.એસ. રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત આર્યુવૈદિક અને હોમીયોપેથીક સારવાર પદ્ધતિ દ્વારા સર્વ રોગ નિદાન ચિકિત્સાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આરોગ્યની ચકાસણી કરવામા આવી હતી.આ કેમ્પ ઝાલોદના એન.એસ.એસ. વિભાગ અને આર્યુવૈદિક સરકારી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ કેમ્પમાં વિનામુલ્યે દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ઝાલોદ નગર સહિત ઝાલોદ તાલુકા અને દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. દાહોદ જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં રોગચાળા સામે નિયંત્રણ લાવવા માટે આર્યુવૈદિક દવાઓ અને આર્યુવૈદિક ઉકાળો લેવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા. આવનારા દિવસોમાં આવા કેમ્પ જિલ્લામાં અન્ય સ્થળોએ પણ યોજવામાં આવશે.