નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીની નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું* નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીની ઉજવણીના અનુસંધાને દાંતા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા દાંતા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું જેમાં રકતદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે રક્તદાન કેમ્પ ના ઈન્ચાર્જ નિલેશભાઈ ઠાકોર , પ્રયાગરાજ દવે દાંતા યુવા મોરચાની ટીમના પ્રભારી ભાર્ગવભાઇ ચૌધરી યુવા મોરચાના પ્રમુખ વિરભદ્રસિંહ પરમાર તથા યુવા મોરચાના કાર્ય કરો 150 વધારે કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.

રક્તદાન કેમ્પમાં 51 બોટલ ઉત્સાહ ભેર આપી ઉત્સાહ વધારવા માટે દાંતા સ્ટેટ યુવરાજ સાહેબ રિદ્ધિરાજસિંહજી દાંતા મંડળના પ્રમુખશ્રી અમરતજી ઠાકોર દાંતા તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ હિતેશભાઈ ઠાકોર કિસાન મોરચા ના મહામંત્રી હરેશભાઈ મોદી તથા તાલુકા પંચાયત ભાજપ ઉપપ્રમુખ સુરેશભાઇ ઠાકોર,હાજર રહ્યા હતા તેમજ યુવાનો મોટી સંખ્યામાં રક્તદાન શિબિરમાં જોડાયા હતા.

અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights