દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું નિધન, જે લાંબા સમયથી બીમાર હતા, આજે તેમનું નિધન થયું છે. છેલ્લા ઘણા દિવસોથી અભિનેતાની તબિયત ખરાબ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 30 જૂને તેને મુંબઇની હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. એક્ટરની પત્ની સાયરા બાનો આખો સમય ત્યાં હાજર રહી હતી અને તેઓએ પ્રશંસકોએ આશ્વાસન આપ્યું હતું કે તેઓની હાલત સ્થિર છે. પરંતુ આજ રોજ સવારના તેઓનું નિધન થયું છે.

બાનોએ અંતિમ ટ્વિટમાં લખ્યું, “દિલીપકુમારની તબિયત હજી સ્થિર છે. તેઓ હજી પણ આઈસીયુમાં છે, અમે તેમને ઘરે લઈ જવા માંગીએ છીએ પરંતુ અમે ડોકટરની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ કારણ કે તેઓ જાણે છે કે તેઓ ડોક્ટરની પરવાનગી આપશે તેઓ તેમને ઘરે લઈ જશે. તેમણે આજે ડિસ્ચાર્જ કરવામાં આવશે નહીં. એમના પ્રશંસકોની દુઆની જરૂરત છે, તેઓ જલ્દી પરત આવશે.’

દિગ્ગજ અભિનેતા દિલીપકુમારના નિધનના સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છવાઇ ગયો છે. કલાકારો સોશિયલ મીડિયા પોસ્ટ્સ શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, દિલીપ કુમારને 6 જૂને શ્વાસની તકલીફને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમય સુધીમાં, તેમના ફેફસાંની બહાર તરલ પદાર્થ એકત્ર થઇ ગયો હતો. જેને તબીબોએ સફળતાપૂર્વક નિકાળી દીધો હતો અને પાંચ દિવસ બાદ તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ હતી.

ગયા વર્ષે દિલીપકુમારે તેમના બે નાના ભાઈઓને કોરોનામાં ગુમાવ્યા હતા

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે દિલીપ કુમારે તેના બે નાના ભાઈઓ અસલમ ખાન અને એહસાન ખાનને કોરોનાના કારણે ગુમાવ્યા હતા. જે પછી તેઓએ તેમના જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ પણ ન હોતી મનાવી. જો કે સાયરા બાનોએ કહ્યું હતું કે, બંને ભાઈઓના અવસાનના સમાચાર દિલીપ સાહેબને ન હોતી આપવામાં આવી.

દિલીપકુમારનું પહેલું નામ યુસુફ ખાન હતું

દિલીપકુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922 માં પાકિસ્તાનમાં થયો હતો. તેનું પહેલું નામ યુસુફ ખાન હતું. બાદમાં તેઓએ પડદા પર દિલીપકુમારના નામથી પ્રશંસા મેળવી હતી. એક્ટરએ પોતાનું નામ એક પ્રોડ્યુસરના કહેવા પર પોતાનું નામ બદલ્યું હતું, જ્યાર બાદ તેઓ સ્ક્રીન પર દિલીપકુમારના નામથી ઓળખાવા લાગ્યા હતાં.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights