ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સતત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદની અનેક ડેમો અને નદીઓમાં પાણીની આવક વધી છે. જેમાં મોરબીના ગ્રામીણ વિસ્તારોમાં પડી રહેલા સતત વરસાદના પગલે મચ્છુ-૩ ડેમમાં નવા નીરની આવક થઈ છે.

જેના લીધે પાણીની આવક વધતાં મચ્છુ 3 ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. તેમજ ડેમના 2 દરવાજા ખોલવામાં આવતા ૨૧ ગામોને એલર્ટ કરવામાં પણ આવ્યા છે. જેમાં રાજકોટના મોરબી રોડ પર આવેલ ગૌરીદળ, રતનપર, હડાળા, આણંદપર કોઠારીયા, કોટડા નાયાણીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના લીધે ધોધમાર વરસાદ પડતાં નદીઓમાં ઘોડાપુર આવ્યા છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights