રાધનપુરના શેરગઢ ગામમાં હિન્દુ દિકરી પરના હુમલાને લઇ સમગ્ર પથંકમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. આ અંગે રાધનપુર આદર્શ વિદ્યાલયમાં હિન્દુ સમાજના અગ્રણીઓની ઉપસ્થીતીમાં બેઠક થઈ હતી. જેમાં રાધનપુર સજ્જડ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના ભાગરૂપે આજે રાધનપુરમાં વહેલી સવારથી ગામના લોકોએ સ્વૈચ્છિક બંધ પાડ્યો હતો. તેમજ હિન્દુ સમાજ દ્વારા રાધનપુરમાં આજે 11 મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હિન્દુ સમાજના તમામ સંગઠનો આ મહા રેલીમાં જોડાશે અને યુવતીને ન્યાય અપાવવા માટે રજૂઆત કરવામાં આવશે.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શેરગઢ ગામે એક વિધર્મી યુવાને શેરગઢ ગામે યુવતી તેના ઘરે ઘરકામ કરતી હતી તે સમયે ઘરે એકલતાનો લાભ લઇ તેનાજ ગામનો અને બાજુમાં રહેતો વિધર્મી યુવાન યાસીન બલોચ ઘરમાં ઘૂસી આવ્યો હતો અને યુવતી સાથે બળજબરી કરવા લાગ્યો હતો.

યુવતીએ બૂમાબૂમ કરતા યુવતી ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાંખી હતી જોકે બૂમાબૂમ કરતા આસપાસના સ્થાનિકોએ હુમલાખોર વિધર્મી યુવાનને ઝડપી પાડયો હતો. બાદમાં સ્થાનિકોએ હુમલો કરનાર યાસીન બલોચ પોલીસને સોપી દીધી હતો

અહેવાલ: પંકજ જોષી કચ્છ

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights