લોકસભાની પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઇ રહ્યા છે. જેમાં યુપીમાં ભાજપે મોટી ઉલટફેર નોંધાવી છે. સમાજવાદી પાર્ટીનો ગઢ મનાતી લોકસભાની આ બંને બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે. તેમાં પણ રામપુર બેઠક માટેનું પરિણામ જાહેર થઈ ગયુ છે અને આ બેઠક પર ભાજપના ઉમેદવાર ઘનશ્યામ સિંહ લોધીએ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આસીમ રજાને 42,000 મતોથી પાછળ મૂકી દીધા છે.

આપને જણાવી દઈએ કે, આ બેઠક સપા નેતા આઝમ ખાનનો ગઢ માનવામાં આવે છે. તેવામાં 2019માં રામપુર લોકસભા બેઠક પર આઝમ ખાન જ ચૂંટણી લડ્યા હતા અને 2022માં તેઓ વિધાનસભા ચૂંટણી લડીને આ મત વિસ્તારમાંથી જીત્યા હતા.

ધારાસભ્ય બન્યા બાદ તેમણે સાંસદ તરીકે રાજીનામુ આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. જેના પર તેમણે પોતાના સમર્થક આસીમ રજાને ઉતાર્યા હતા. આઝામ ખાન પોતે જ પ્રચાર કરી રહ્યા હતા છતા પણ આ બેઠક સપાએ ગુમાવી છે.

આપને જણાવી દઈએ કે, આઝમગઢ બેઠક પર ભાજપના ઉમેદવર દિનેશલાલ યાદવ નિરહુઆએ 14000 મતની સરસાઈ મેળવી લીધી છે. આ બેઠક પર મતગણતરીની શરુઆતમાં સપાના ઉમેદવાર આગળ હતા પણ જેમ જેમ મતગણતરી આગળ વધી રહી હતી તેમ તેમ નિરહુઆએ ધર્મેન્દ્ર યાદવને પાછળ છોડવા માંડ્યા હતા.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights