રાજ્યમાં સરકારી નોકરીઓની ભરતી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષા માટેની વય મર્યાદામાં 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. સીધી ભરતીની સાથે સાથે 1 વર્ષની વય મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

જાહેરાત અનુસાર 1 સપ્ટેમ્બર 2021થી 31 ઓગસ્ટ 2022 સુધી આવનારી ભરતીમાં એક વર્ષની છૂટ મળશે. આ પ્રમાણે તમને જણાવી દઈએ કે બિન અનામત વર્ગના પુરુષો માટે વયમર્યાદા વધારીને 33 થી 34 કરાઈ છે.

જ્યારે SC, ST, OBC અને આર્થિક રીતે નબળા પુરુષો માટે વયમર્યાદા વધારી 41 વર્ષ કરાઈ છે. તો સ્નાતક કક્ષાએ બિન અનામત વર્ગની વય મર્યાદા 35 વર્ષથી વધારી 36 વર્ષ કરવામાં આવી છે.


ત્યારે અનામત ધરાવતા પુરુષો માટે સ્નાતકથી ઓછી લાયકાતની ભરતીમાં વયમર્યાદા એક વર્ષ વધારીને 39 વર્ષ કરવામાં આવી છે. ત્યારે બિનસ્નાતકની ભરતીમાં બિનઅનામત મહિલા ઉમેદવારો માટે 38 વર્ષથી વયમર્યાદા વધારીને 39 વર્ષ કરવામાં આવી છે.

તો બિનઅનામત મહિલા ઉમેદવારો માટે સ્નાતક કે સમક્ષની ભરતીમાં વયમર્યાદા 40 વર્ષથી વધારીને 41 વર્ષ કરવામાં આવી. તો અનામત કેટેગરીની મહિલા માટે પણ બિનસ્નાતક ભરતીની વયમર્યાદા 44 વર્ષ કરાઈ છે.

આવા કિસ્સામાં અનામત કેટેગરીની મહિલાઓ માટે સ્નાતક કે સમકક્ષમાં વયમર્યાદા 45 જ રાખવામાં આવી છે. આ ફેરફાર છતાં વયમર્યાદા 45 વર્ષથી વધુ નહીં થાય. ટેટની પરીક્ષામાં પણ સમય મર્યાદા વધારો કરાયો છે. આ પ્રમાણે 3300 શિક્ષકોની ભરતીઓમાં ઉમેદવારોને લાભ મળશે તેવું સરકારનું કહેવું છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights