અમીત પટેલ, અમદાવાદ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિભવ્ય વિજય થવા બદલ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’, ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમાં ‘જનતા જનાર્દન અભિવાદન’ સમારોહ યોજવામાં આવ્યો…
આ સમારોહમાં પ્રદેશના હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.