અમીત પટેલ અમદાવાદ
શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી તેમજ સમસ્ત ધર્મકુળ પરિવારના આશીર્વાદ તથા શ્રી સ્વામિનારાયણ વિધાધામ હાથીજણના સંસ્થાપક પરમ પૂજ્ય શ્રીજીસ્વામીની પ્રેરણાથી સર્વે પિતૃને અક્ષરધામમાં ભગવાનની મૂર્તિનું અખંડ સુખ મળે એવી ભાવનાથી શ્રી સ્વામિનારાયણ વિધાધામ – હાથીજણ, અમદાવાદ ખાતે ૨૫ મા સર્વ પિતૃ શ્રાધ્ધનું આયોજન કરેલ છે જેમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન, કિર્તન-ભક્તિ તથા પૂજ્ય શ્રીજીસ્વામીના સ્વમુખે સત્સંગ રાખવામાં આવ્યો છે ત્યારે આ ઉમદા કાર્યને બિરદાવું છું….