BANASKANTHA : 11 માસ વીતી જવા છતાં બનાસકાંઠાના ડીસામાં લોન કૌભાંડીઓ સામે કોઈ પગલા ન લેવામાં આવતા આખરે ન્યાય માટે પીડિતોને ધરણા – પ્રદર્શન કરવા પડ્યા છે. ડીસા તાલુકાના બલોધર ગામના ગ્રામજનો સાથે લોનના નામે છેતરપિંડી કરવામાં આવી હતી.


ખોટા દસ્તાવેજ કરી બલોધર ગામના ગ્રામજનોના નામે લોન લઇ સમગ્ર કૌભાંડ આચરનારાઓ વિરુદ્ધ 11 માસ બાદ પણ કાર્યવાહી ન કરવામાં આવતા આખરે બલોધર ગામના ગ્રામજનોએ કલેકટર કચેરી સામે ધરણા કર્યા હતા. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ભીલડી પોલીસ આરોપીઓની અટકાયત ન કરતી હોવાથી ન્યાય માટે તેઓ ધરણા પર બેઠા છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights