Thu. Apr 25th, 2024

યુપીમાં સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ ટેક્સ ફ્રી, આજે રિલીઝ થઇ ફિલ્મ

અક્ષય કુમારની સમ્રાટ પૃથ્વીરાજની ચાહકોને રાહ છે, જે આજે સિનેમાઘરોમાં આવી ગઈ છે. ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે સમ્રાટ પૃથ્વીરાજનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. ફિલ્મને નિહાળ્યા બાદ યોગી ઈમ્પ્રેસ થયા હતા અને તેમણે ઉત્તર પ્રદેશમાં ફિલ્મને ટેક્સ ફ્રી રાખવાનું એલાન કર્યું હતું.

અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સ્ટારર આ ફિલ્મ શુક્રવારે થીયેટરમાં રિલિઝ થઈ છે. ફિલ્મના પ્રમોશન માટે અક્ષય અને આખી ટીમ તનતોડ મહેનત કરી રહ્યાં છે, ત્યારે યોગીની આ એનાઉન્સમેન્ટથી તેમને બૂસ્ટર ડોઝ મળ્યો છે. અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ પર સમગ્ર ઉત્તર પ્રદેશમાં ટેક્સ લેવાશે નહીં.

ફિલ્મને જોયાં બાદ યોગી આદિત્ય નાથે આ જાહેરાત કરી હતી. ફિલ્મમાં 1191 અને 1192 દરમિયાન પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમંદ ઘોરી વચ્ચે થયેલા યુદ્ધની સ્ટોરી કેન્દ્ર સ્થાને છે. ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ફિલ્મની સ્ટોરી લખી છે અને ડાયરેક્શન કર્યું છે. તેમાં સોનુ સૂદ, સંજય દત્ત, આશુતોષ રાણા, સાક્ષી તંવર, માનવ વિજ, લલિત તિવારી પણ મહત્ત્વના રોલમાં છે.

ઉત્તર પ્રદેશમાં અગાઉ અનુપમ ખેર અને વિવેક અગ્નિહોત્રિની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને ટેક્સ ફ્રી કરાઈ હતી. ત્યારબાદ ગુજરાત સહિત અનેક રાજ્યોએ પણ ફિલ્મને ટેક્સ ફ્રી બનાવી હતી. ધ કાશ્મીર ફાઈલ્સે બોક્સ ઓફિસ પર બનાવેલો રેકોર્ડ ખરા અર્થમાં આશ્ચર્યજનક હતો. મોટા સ્ટાર કે મોટું બેનર ન હોવા છતાં ફિલ્મને ઓડિયન્સે ભરપૂર પ્રેમ આપ્યો હતો.

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights