અમરેલી : રાજુલામાં વનકર્મીઓની દુકાનદાર સામે દાદાગીરીની ઘટના સામે આવી છે. વનવિભાગના કર્મચારીઓએ દુકાનદારને ધમકી આપી હતી અને કહ્યું કે ગામમાં લટાર મારતા સિંહના CCTV ફૂટેજ મીડિયાને આપવા નહીં. આ CCTV દુકાનની સુરક્ષા માટે છે, જાનવરના વીડિયો વાયરલ કરવા માટે નહીં.


સિંહ આરક્ષિત પ્રાણી હોવાથી શૂટિંગ ના ઉતારી શકાય એવું કહી વનવિભાગના કર્મચારીઓએ દુકાનદારને ધમકી આપી હતી. મીડિયામાં વીડિયો આવવાને કારણે વનકર્મીઓની બેદરકારી છતી થઇ છે. પોતાની બેદરકારીને દબાવવા વનકર્મીઓ દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વનકર્મીઓની દાદાગીરી સામે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights