અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ સાથે લોકોને ઘણી આશાઓ છે. જેના પર આ ફિલ્મ કેટલી ખરી ઉતારશે એ તો જોવાનું રહ્યું. એના પહેલા આ ફિલ્મને અનેક રાજ્યોમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, અક્ષયકુમાર અને માનુષી છિલ્લરની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાયેલી છે. પહેલા કરણી સેનાએ ફિલ્મના ટાઈટલને લઈને વિરોધ કર્યો ત્યારબાદ ગુર્જર સમાજ પણ વિવાદમાં કૂદ્યો અને હવે જ્યારે ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે મેકર્સ માટે વધુ એક ચિંતાજનક સમાચાર આવ્યા છે.

‘સમ્રાટ પૃથ્વીરાજ’ને ઓમાન અને કુવૈત જેવા દેશોએ બેન કરી છે. બોલીવુડ હંગામાના અહેવાલમાં સૂત્રોને હવાલે જણાવવામાં આવ્યું છે કે ‘કમનસીબ છે કે આપણા ગૌરવશાળી હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજના જીવન અને સાહસ પર બનેલી એક ફિલ્મ પર કુવૈત અને ઓમાન જેવા કેટલાક આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એવું લાગે છે કે આ દેશોએ ફિલ્મની રિલીઝ પહેલા આ સ્ટેન્ડ લીધુ છે. સમ્રાટ પૃથ્વીરાજનું જીવન એ વાતનો પુરાવો છે કે ભારતીય સત્ય માટે ઊભા રહ્યા અને આપણા દેશને આપણા લોકોને લૂંટવા અને હત્યા કરવા માંગનારા નિર્દયી આક્રમણકારીઓથી બચાવ્યા. તેમના જીવનની કહાની પર પ્રતિબંધથી સવાલ ઉઠે છે કે લોકો ઈતિહાસ પર નજર કેમ નથી ફેરવતા અને સ્વીકારતા કેમ નથી કે ભારત અને હિન્દુઓ સાથે શું થયું હતું?

અક્ષયકુમાર અને માનુષી છિલ્લરની સમ્રાટ પૃથ્વીરાજમાં સોનુ સૂદ અને સંજય દત્ત પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મને ડો.ચંદ્રપ્રકાશ ત્રિવેદીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ હિન્દુ ઉપરાંત તમિલ, અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ થશે. અક્ષયની અન્ય ફિલ્મોની વાત કરીએ તો પૃથ્વીરાજ ઉપરાંત મિશન સિન્ડ્રેલા, રામસેતુ, રક્ષાબંધન, ગોરખા, સેલ્ફી, ઓહ માય ગોડ 2, મોગુલ અને બડે મિયા છોટે મિયા જેવી ફિલ્મોમાં પણ તે જોવા મળશે.

 

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights