કોરોનાકાળમાં વાલીઓ માટે અત્યંત રાહતના સમાચાર આવ્યા છે. કોરોનાના કપરા કાળમાં જ્યાં અનેક લોકોના ધંધા અને રોજગાર બંધ પડ્યા છે, ત્યારે આવા સમયે લોકોને બે ટંક ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા છે, ત્યારે સંતાનોની શાળાની ફી ભરવી અનેક પરિવારોને લાચાર સ્થિતીમાં મુકી દીધા હતા. જો કે, હવે રાજ્ય સરકાર તરફથી થોડી રાહત આપવામાં આવી છે. જાહેરાત કર્યા પ્રમાણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને ફી પરત કરવામાં આવશે. આ નિર્ણયથી 3.50 લાખ વિદ્યાર્થીઓના વાલીઓને રાહત થવાની છે. આગામી દિવસોમાં 6.47 કરોડ રૂપિયા ફી પેટે પરત ચુકવવામાં આવશે.

અહીં ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષ કરતા પણ વધારે સમયથી ઓફલાઈન શિક્ષણ ચાલી રહ્યુ છે એટલે કે વિદ્યાર્થીઓ ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે. શાળાઓમાં વિદ્યાર્થીઓના ભવિષ્યને જોતા અને સ્વાસ્થ્યને ખતરો ન આવે તે માટે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જો કે, શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણની ફી બાબતે વાલીઓ સતત આ ફી પાછી કરવા માગ કરી રહ્યા હતા. આ બાબતને લઈને શાળા સંચાલકોની દાદાગીરી ઘણી વખત સામે આવી છે. જોકે હવે રાજ્ય સરકારે મોટી રાહત આપી છે.

કોરોનાના કપરા સમયમાં શાળાઓ બંધ છે, વિદ્યાર્થીઓ ઘરે બેસીને ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આવા સમયે સ્વાભાવિક છે કે દરેક પરિવાર પાસે ઈન્ટરનેટની વ્યવસ્થા ન પણ હોય, આવા સમયે વાલીઓના ખર્ચા પણ વધ્યા, મોબાઈલની વ્યવ્સ્થા કરવી પડી. વિદ્યાર્થીઓને આ રીતે પણ શિક્ષણ આપતા થયાં છે. આવા સમયે ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓને આને કારણે મોટો આર્થિક બોજ પણ આવ્યો, જો કે, રાજ્ય સરકારના આ નિર્ણયથી વાલીઓને અમુક અંશે રાહત થવાની છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights