ગાંધીનગર : કોરો રોગચાળાની બીજી લહેરનો ખતરો ઘટતાં રાજ્યમાં બદલીઓનો શ્રેણી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં આઈએએસ (IAS) અધિકારીઓની મોટા પ્રમાણમાં બદલીઓ કરવામાં આવી છે. કુલ 77 આઈએએસ (IAS) અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં કેટલાક અધિકારીઓને પ્રમોશન પણ કરવામાં આવ્યા છે. અમદાવાદના ડીડીઓની પણ બદલી કરવામાં આવી છે.

અગ્ર સચિવ અંજુ શર્માને ઉચ્ચ અને તકનીકી શિક્ષણ વિભાગમાંથી શ્રમ અને રોજગાર વિભાગમાં બદલી કરવામાં આવી છે. એચ.જે. હૈદરે જી.એસ.આર.ટી.સી. (GSRTC ) ના વાઇસ ચેરમેન પદેથી ઉચ્ચ અને તકનીકી શિક્ષણ વિભાગમાં બદલી કરાઈ છે. હર્ષદ પટેલને શ્રમ અને રોજગાર વિભાગમાંથી જી.એસ.આર.ટી.સી (GSRTC ) માં વાઇસ ચેરમેન પદે બદલવામાં આવ્યા છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights