રાજ્યમાં હાલ વરસાદ ખેંચાયો છે, જેણે રાજ્યના મોટા જળાશયોને સીધી અસર પહોંચી છે. મધ્ય ગુજરાતમાં વરસાદની સ્થિતિ પણ ચિંતાજનક બની છે, બીજી તરફ, પંચમહાલ જિલ્લાના વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

પંચમહાલ જિલ્લામાં પાનમ અને હડફ નામના બે મુખ્ય જળાશયો છે, જેમાંથી જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમની જળસપાટી સતત ઘટી રહી છે. જિલ્લાના ખેડૂતો દ્વારા વરસાદ ખેંચાતા સિંચાઇ માટે પાણી છોડવાની માંગ કરી હતી.

હાલમાં સિંચાઇ કેનાલો દ્વારા સિંચાઈ માટે દરરોજ 300 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાવરહાઉસ માટે 250 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

પાનમ ડેમની ભયજનક જળસપાટી 127.30 મીટર છે. ડેમમાં હાલ જળ સંગ્રહની કુલ ક્ષમતાના 45% જેટલી જ બાકી છે. પંચમહાલ જિલ્લાના પૂર્વ ભાગમાં ગોધરા અને શેહરા તાલુકાના 150 ગામો ઉપરાંત હાલમાં પાનમ જળાશયો પર આધારિત છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights