રાજકોટ ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશને પોલીસ કમિશનરને રાત્રિ કરફ્યુ અંગે રજૂઆત કરવામાં આવી છે. જેમાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપવા કમિશનરને રજૂઆત કરી હતી. એસ.ટી બસોને છૂટ આપવામાં આવી છે તો ખાનગી ટ્રાવેલ્સની પણ છૂટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

લોકડાઉન દરમિયાન ખાનગી ટ્રાવેલ્સ માલિકોની સ્થિતિ પણ કફોડી થઇ ગઈ છે. રાજકોટના ગ્રીન લાઈન ચોકડી, ગોંડલ રોડ ચોકડી અને માધાપર ચોકડીએ પેસેન્જરોને રાત્રિ કરફ્યુ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સમાંથી ઉતારી દેવા પડે છે.

જેના કારણે ખાસ કરીને સિનિયર સિટીઝનોને ખૂબ મુશકેલી પડે છે. દરરોજના 25થી 30 હજાર જેટલાં પેસેન્જરોને ખૂબ જ મુશકેલી પડે છે.

દરરોજની 1100 થી વધુ બસ રાજકોટમાં અપડાઉન કરે છે. ખાસ કરીને એસ.ટી બસોને સરકાર દ્વારા કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે, તો ખાનગી ટ્રાવેલ્સની પણ મુક્તિ આપવામાં આવે તેવી માંગ રાજકોટ ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights