Gujarat : રાજ્યમાં કોરોનાનો કેર સતત ઘટી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં નવા 10 કેસ નોંધાયા છે. સૌથી વધુ વડોદરામાં 4, અમદાવાદમાં 1, સુરતમાં 3 કેસ નોંધાયો. જ્યારે 24 કલાકમાં રાજ્યના 25 જિલ્લાઓ અને 4 મહાનગરોમાં એક પણ કેસ નોંધાયો નથી. તેથી સતત એક સપ્તાહથી મૃત્યુઆંક શૂન્ય રહ્યો છે.
રાજ્યમાં હવે માત્ર 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 151 થઇ છે. રસીકરણની વાત કરીએ તો, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 7.23 લાખ લોકોનું રસી આપવામાં આવી છે. રાજ્યમાં સૌથી વધુ રસી સુરતમાં 82 હજાર 132 લોકોને અપાઇ. તો અમદાવાદમાં 65 હજાર 402 લોકોનું રસીકરણ કરાયું.
જ્યારે બનાસકાંઠામાં 43 હજાર, દાહોદમાં 44 હજાર લોકોને રસીના ડોઝ અપાયા. જ્યારે રાજકોટમાં 36 હજાર 342 અને વડોદરામાં 29 હજાર 854 લોકોને રસી અપાઇ. આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 4 કરોડ 77 લાખ 42 હજાર લોકોને રસી આપવામાં આવી છે.
કેરળમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. કેરળમાં દરરોજ કોરોનાના 30 હજારથી વધુ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના 32 હજાર 97 કેસ નોંધાયા છે. જ્યારે 188 લોકોનાં મોત થયા છે.
કેરળમાં નોંધાયેલા કેસો દેશના કુલ કેસોમાં 70 ટકાથી વધુ છે. કારણ કે દેશમાં કોરોનાના 45 હજાર 624 કેસ નોંધાયા છે. દેશમાં એક જ દિવસમાં 355 લોકો મૃત્યું પામ્યા છે. અત્યાર સુધી દેશમાં 4 લાખ 39 હજાર 916 લોકોનાં મોત થયા છે. દેશમાં હજુ પણ 3.93 લાખથી વધુ સક્રિય કેસ છે.