Fri. Apr 26th, 2024

ગીર-સોમનાથ: તાળવામાં ડૂબી જવાથી પિતા અને બે પુત્રના મોત

By Shubham Agrawal Jul26,2021

25 જુલાઈને રવિવારના રોજ રાજ્યમાં બે કરૂણાંતિકાઓ સર્જાઈ. ગીર-સોમનાથના ઉનામાં પિતા અને બે પુત્રોના ડૂબી જવાથી મૃત્યું નિપજ્યાં તો બીજી બાજુ ઉંઝામાં જળાશયમાં ન્હાવા પડેતા 4માંથી બે યુવકોનાં ડૂબ્યા છે જેમની હજી સુધી કોઈ ભાળ મળી નથી.

ગીર-સોમનાથની વાત કરીએ તો ઉના તાલુકાના મોટા ડેસર ગામે માલધારી પોતાના ઘેટા-બકરા ચરાવવા નીકળ્યા હતા. આ દરમિયાન તળાવના કાંઠે તેઓ ઘેટા-બકરાને નવડાવી રહ્યા હતા. ત્યારે તેમનો પગ લપસતા તેઓ ડૂબવા લાગ્યા હતા.

                       
                                          ગીર-સોમનાથમાં તાળવામાં ડૂબી જવાથી પિતા અને બે પુત્રના મોત

પિતાને ડૂબતા જોઈ તેમને બચાવવા માટે તેમના બે પૂત્રો પણ તળાવમાં પડ્યા. પરંતુ તળાવના કિચડના કારણે ત્રણેયનું તળાવના પાણીમાં ડૂબી જવાથી મૃત્યું થયું હતું. એક જ પરિવારના ત્રણ લોકોનાં મોતથી નાના એવા ગામમાં શોકની લાગણી પ્રસરી હતી.

બીજી બાજુ ઉંઝા તાલુકાના વણાગલા ગામે સીમમાં 4 કૌટુંબિક ભાઈઓમાંથી બકરીઓ ચરાવવા ઘરેથી નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ જળાશયમાં ન્હાવા પડ્યા હતા. જેમાંથી બે યુવો ડૂબ્યા હતા. જેમની મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી નથી. તેથી આજે ફરી તેમની શોધખોળ હાથ ધરાશે.

                       
                                                                 ઉંઝામાં બે યુવકો જળાશયમાં ડૂબ્યા હજી કોઈ ભાળ નહીં

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights