Fri. Apr 26th, 2024

રાજકોટમાં ગળેફાંસાનું નાટક કરવા જતાં નીચેનું વાસણ ખસી ગયું અને 11 વર્ષની બાળકીનું મોત

By Shubham Agrawal Oct4,2021

રાજકોટ: શનિવારે શહેરના રણછોડનગર, મધુરમ હોસ્પિટલ પાસે આવેલા ગોલ્ડકોઇન એપાર્ટમેન્ટમાં બાળકીએ ફાંસો ખાઇને આપઘાત કર્યાની ઘટના પ્રકાસમાં આવી હતી. માતાપિતાને આ વાતની જાણ યા બાદ તેમણે 108ને બોલાવી હતી. જોકે, 108ની તપાસમાં તરુણીનું મોત નીપજ્યાનું જાહેર કરી તેમણે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. જેથી પોલીસ કંટ્રોલરૂમે તુરંત બી ડિવિઝન પોલીસમથકને બનાવની જાણ કરતા તેમની ટીમ તાત્કાલિક આવી ગઇ હતી.

એપાર્ટમેન્ટના ચોકીદારની રૂમ પાસે તરુણીનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જેથી પોલીસે બાળકીનો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પૂછપરછમાં મોતને ભેટેલી બાળકી 11 વર્ષીય સમીક્ષા નરેશસિંઘ લોહારના પિતા નરેશસિંઘની પૂછપરછમાં અનેક ખુલાસા થયા હતા. તેઓ મૂળ નેપાળના વતની છે. એક વર્ષ પહેલા પત્ની, ત્રણ પુત્રી સાથે રાજકોટ આવ્યો હતો. આ એપાર્ટમેન્ટમાં જ એક રૂમમાં રહીને ચોકીદારી કરે છે. શનિવારે પોતે અને પત્ની બંને બહાર હોય તેવા સમયે આ ઘટના બની હતી.

તેમની સૌથી મોટી પુત્રી સમીક્ષા અને તેનાથી નાની બે બહેનો ઘરે એકલી હતી. તે સમયે ત્રણેવ વચ્ચે મરવાની વાતો થઇ રહી હતી. ત્યારે સમીક્ષા પોતાની બહેનો સામે ગળેફાંસો કઇ રીતે ખવાઇ તે બતાવતી હતી. સમીક્ષાએ એક સળિયામાં ચૂંદડી બાંધી હતી. ત્યાર બાદ જમીન પર એક વાસણ મૂકીને તેના પર ઊભી રહી હતી. તે બાદ સમીક્ષા ચૂંદડીનો બીજો છેડો ગળામાં બાંધ્યો હતો. તેવા સમયે નીચે રાખેલું વાસણ ખસી જતા સમીક્ષાને સાચે જ ફાંસો લાગી ગઇ હતી અને તેનું મોત થયુ હતું.શંકાસ્પદ લાગતા આ કેસમાં મૃતકનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં પણ અકસ્માતે ગળેફાંસો લાગી જતામોત થયાનું કારણ આવ્યું છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights