AHMEDABAD : શહેરમાં તસ્કરોને જાણે કે પોલીસનો ડર જ નથી રહ્યો. ચાંદખેડાના શિવ મંદિરમાં ચોરી અને લૂંટની ઘટનાને હજી અઠવાડિયું જ થયું છે, ત્યાં હવે જૈન દેરાસરમાં ચોરી થયાની ઘટના સામે આવી છે.

સરખેજ-ગાંધીનગર હાઈવે પર વૈષ્ણવદેવી સર્કલ પાસે જૈન દેરાસરમાં ચોરી થઇ છે. બે તસ્કરોએ વહેલી સવારે 3 વાગ્યે દેરાસરમાં ઘુસી ચોરી કરી છે.

આ તસ્કરોએ દેરાસરના બે મોટા ભંડારા એટલે કે દાનપેટીની ચોરી કરી છે.

ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ઉલ્લેખનીય છે કે હજી 6 દિવસ પહેલા જ શહેરના ચાંદખેડામાં સીક્યુરીટી ગાર્ડને બંધક બનાવીને ધાડપાડુ ગેંગે મંદિરમાં લૂંટ ચલાવી હતી.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights