નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારે સેનામાં સુધારો કરવાને લઈને મોટા બદલાવની માટે રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે ‘અગ્નિપથ ભરતી યોજના’ નું એલાન કર્યું છે. રાજનાથ સિંહે જણાવ્યું કે, અગ્નિપથ ભરતી યોજના હેઠળ સેનામાં 4 વર્ષ માટે યુવાનોની ભરતી કરવામાં આવશે. આ સાથે જ તેમને નોકરી છોડતી વખતે સર્વિસ ફંડ પેકેજ પણ મળશે. આ યોજના હેઠળ સેનામાં સામેલ થતા યુવાનોને અગ્નિવીર કહેવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, યુવાનોને 4 વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવશે. આ દરમિયાન અગ્નિવીરોને આકર્ષણ વેતન મળશે. સેનાની 4 વર્ષની નોકરી બાદ યુવાનોને ભવિષ્ય માટે વધુ અવસર આપવામાં આવશે. 4 વર્ષની નોકરી બાદ સર્વિસ ફંડ પેકેજ મળશે. આ યોજના હેઠળ ભરતી કરાયેલા મોટા ભાગના જવાનોને 4 વર્ષ બાદ સેવા મુક્ત કરી દેવામાં આવશે. જોકે, કેટલાક જવાનો પોતાની નોકરી ચાલું રાખી શકશે. 17.5 વર્ષથી 21 વર્ષના યુવાનોને તક મળશે.
તાલીમ 10 અઠવાડિયાથી 6 મહિનાની હશે. તેમજ દેશની સેનાની ભાવના રાખતા યુવાનોને તક મળશે. સેનામાં શોર્ટ અને લોન્ગ ટર્મ નોકરીની તક મળશે. ત્રણેય સેનાઓમાં યુવાનોની ભાગીદીરી વધશે. ત્રણેય સેનાઓના પ્રમુખોએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ યોજનાનું પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. આ યોજના હેઠળ સેનામાં યુવાનોની ઓછા સમય માટે ભરતી થઈ શકશે. આ યોજનાનું અગ્નિપથ સ્કીમ નામ આપવામાં આવ્યું છે. આ હેઠળ યુવાનો 4 વર્ષ માટે સેનામાં સામેલ થઈ શકે છે અને દેશની સેવા કરી શકશે.