Sun. Sep 8th, 2024

દાહોદ:ફતેપુરાના સુખસર આરોગ્ય કેન્દ્રમાં દર્દીનું મોત થતાં પરિવારજનોએ કર્યો હોબાળો.

તબીબની ભૂલના કારણે મોત  થયાના આક્ષેપો કર્યા હતા. તેમજ દવાખાનામાં ઘૂસીને  તોડફોડ કરી અને સાથે લેબોરેટરી રૂમનો કાચ ફોડી દેવાતા તબીબો, સ્ટાફ અને કોરોના દર્દીઓમા દોડધામ મચી હતી. પોલીસને જાણ કરતા પોલીસ દવાખાના ખાતે દોડી આવ્યો હતો.અને ત્યાની સ્થિતિ કાબૂમાં લીધી હતી. કાચ તોડનારને તુટેલા કાચથી ઇજા થઈ હતી. જેને સારવાર અપાઈ હતી. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ સરકારી દવાખાના ખાતે કાયમ માટે પોલીસ પોઈન્ટ મુકવા માટે મેડિકલ ઓફિસરે પોલીસને જાણ કરી હતી.

Related Post

Verified by MonsterInsights