Sun. Sep 8th, 2024

અમદાવાદ : L. G. હૉસ્પિટલમાં સફાઈ કામદારોનો હોબાળો

અમદાવાદ શહેરની એલ.જી. હૉસ્પિટલમાં કમલેશભાઇ વાઘેલા નામના કાયમી થયેલા સફાઇ કામદારના મોતથી હોબાળો મચ્યો છે. હૉસ્પિટલનાં અન્ય સફાઇ કામદારો તથા પરિવારે આક્ષેપ કર્યો છે કે, કમલેશભાઇ નામના કર્મચારીને હાર્ટઅટેક આવ્યો હતો જે બાદ તેમને એલ.જી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતા અને એલ.જીમાં સારવાર નહિ મળતા તેમનું મોત નીપજ્યું છે. હાલ આ એલ.જી. હૉસ્પિટલનાં તમામ સફાઇ કામદારો કામકાજથી અળગા રહીને વિરોધ નોંધાવી રહ્યાં છે.

હાલ મોટી સંખ્યામાં સફાઇ કામદારો માસ્ક પહેરીને ભેગા થયા છે. જેના કારણે હૉસ્પિટલની અંદરનું સફાઇ કામકાજ ઠપ્પ થયું છે. મૃતક કમલેશભાઇ વાઘેલાનાં પરિવારજનોનો આક્ષેપ છે કે, કમલેશભાઇને ગઇકાલે રાતે હાર્ટએટેક આવ્યો હતો. જે બાદ તેમને એલ.જી. હૉસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતા પરંતુ ત્યાં તેમને યોગ્ય સારવાર આપવામાં ન આવતા કમલેશભાઇનું મોત નીપજ્યું છે. આજે સવારથી એલ.જી હૉસ્પિટલનાં પ્રાંગણમાં જ તમામ સફાઇ કર્મીઓ ભેગા થઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. તેઓ નારા પણ લગાવી રહ્યાં છે કે, ‘કમલેશભાઇને ન્યાય આપો.’ આ ઉપરાંત તેમણે સુપરિટેન્ડન્ટ ઓફિસનો પણ ઘેરાવો કર્યો હતો.

Related Post

Verified by MonsterInsights